નિજ દુઃખમાં બળવાનું શાને પરસુખમાં જલવાનું?
સંત સાક્ષરો કહી રહ્યા એ મનથી સાંભળવાનું :
દુઃખ આવે દુઃખ જાય; આવશે સુખ, આવી વહી જાય –
પરમકૃપાળુ પરમાત્માનું જીવન એ કહી જાય.
દુઃખનું ઝરણું, સુખની સરિતા; સુખદુઃખનો ભવસાગર :
એ ઘર પેલે પાર આપણું
આપણું લઘરવઘર તે આ ઘર!