આપણું ઘર

નિજ દુઃખમાં બળવાનું શાને પરસુખમાં જલવાનું?

સંત સાક્ષરો કહી રહ્યા એ મનથી સાંભળવાનું :

દુઃખ આવે દુઃખ જાય; આવશે સુખ, આવી વહી જાય –

પરમકૃપાળુ પરમાત્માનું જીવન એ કહી જાય.

દુઃખનું ઝરણું, સુખની સરિતા; સુખદુઃખનો ભવસાગર :

એ ઘર પેલે પાર આપણું

આપણું લઘરવઘર તે આ ઘર!

Leave a Comment